યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો નૈતિક એટલે કે કરણ મહેરા (karan mehra) થયો ગિરફ્તાર, જાણો શું છે કારણ?
ટેલિવુડ ડેસ્ક, 01 જૂનઃ યેરિશ્તા ક્યા કહેલાતા હૈ સસિરિયલ થી ફેમસ થયેલ ટીવી સ્ટાર કરણ મહેરા(karan mehra)ને ગઈ કાલે રાત્રે ગિરફ્તાર કરવામાં આવ્યો છે. કરણની પત્ની નિશા રાવલ તે પણ એક ફેમસ ટીવી સ્ટાર છે, તેણે કરણ ઉપર મારપીટનો આરોપ લગાવ્યો છે. ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નિશાએ કરણ વિરુદ્ધ કમ્પ્લેન લખાવી હતી .ત્યાર બાદ કરણને પત્નીની મારપીટ બદલ ગિરફતાર કરવામાં આવ્યો છે.
મીડિયાના જણાવ્યા અનુસાર આખી રાત જેલમાં વિતાવ્યા બાદ કરણ(karan mehra)ને આજે સવારે બેલ મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, નિશા અને કરણને અત્યાર સુધી બેસ્ટ કપલ માનવામાં આવતા હતા.
આ પણ વાંચો….
આજથી બદલાઇ ગયા Bank,LPG,Google, ઇન્કમટેક્સ સહિત આ તમામ નિયમ(change rules) , વાંચો સંપૂર્ણ વિગત