Sunil Lehri

Sunil Lahri Statement: લક્ષ્મણને નથી મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ, કહી આ વાત…

Sunil Lahri Statement: કાર્યક્રમના આયોજકોને લાગતું હશે કે લક્ષ્મણ એટલે કે મારું પાત્ર એટલું મહત્વનું નથી: સુનીલ લહરી

મનોરંજન ડેસ્ક, 18 ડિસેમ્બરઃ Sunil Lahri Statement: જ્યારે પણ રામાયણનું નામ લેવાય છે તો રામાનંદ સાગરનો પોપ્યુલર શો રામાયણ યાદ આવે છે. આ શોમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા સ્ટાર્સને દર્શકો વાસ્તવિક જીવનમાં પણ ભગવાન માને છે. ખબર હોય કે, આવતા મહીને અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો છે.

આ સમારોહમાં રામાયણના રામ (અરુણ ગોવિલ) અને માતા સીતા (દીપિકા ચીખલિયા)ને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પરંતુ લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરીને આમંત્રણ મળ્યું નથી. હવે આમંત્રણ ન મળવા પર સુનિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સુનીલ લહરીએ તાજેતરમાં મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટેનું આમંત્રણ મળ્યું નથી. સુનિલે એમ પણ કહ્યું કે એ જરુરી નથી કે દર વખતે તમને બોલાવવામાં આવે, પણ એવું થાય તો સારું. આનાથી હું બહુ નિરાશ નથી થયો.

સુનિલે વધુમાં જણાવ્યું કે, કદાચ કાર્યક્રમના આયોજકોને લાગતું હશે કે લક્ષ્મણ એટલે કે મારું પાત્ર એટલું મહત્વનું નથી. તેથી જ તેમને આમંત્રણ આપ્યું નથી અથવા કદાચ તે મને વ્યક્તિગત રીતે પસંદ નહીં કરતા હોય.

આ પણ વાંચો… Dawood Ibrahim News: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર અપાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો