Theft in a closed house at Ambaji: અંબાજીમાં તસ્કરોનો ત્રાસ, તિરુપતી સોસાયટીના બંધ મકાન માંથી રુ. 1. 90 લાખની મત્તા ચોરાઈ, લોકોમાં ભય નો માહોલ
અહેવાલઃ કિષ્ના ગુપ્તા
અંબાજી, 12 જુલાઇઃ Theft in a closed house at Ambaji: અંબાજી પંચાયતની માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ને પોતે પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાન જોઈ મોકાનો ફાયદો ઉઠાવતા તેમના મકાનમાંથી તસ્કરો રુ. 1.90 લાખના મુદામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જેને લઈ અંબાજી પોલીસ માં ફરિયાદ નોંધાવા પામી છે.
અંબાજીમાં માધ્યમીક શાળા માં હ આચાર્ય તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ રાજપૂત પોતાના પિતાના ઘરે શનિવારે કાંસા ગામે ગયા હતા ત્યારે તસ્કરો એ ઘરમાંથી સોનાની રુદ્રાક્ષની માળા , કડલી , બુટ્ટી ચાંદીના કડું સહિતના દાગી અને રોકડ રકમરુ. 11 હજાર , સહીત કુલ રૂ .1. 90 લાખની ચોરી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે જેને લઈ પોલીસે હાલ ચોરોને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે