Accident between Passenger train collides with freight: મહારાષ્ટ્રમાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા 50 લોકો થયા ઘાયલ- વાંચો વિગત

Accident between Passenger train collides with freight: સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી

મુંબઇ, 17 ઓગષ્ટઃAccident between Passenger train collides with freight: મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે.

આ પણ વાંચોઃ Narmada Dam Overflow : ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક, 300 લોકોને સ્થળાંતર કરાયું, શાળામાં રજા જાહેર

મીડિયા રિપોર્ટ અનુસાર, તેમાંથી એક ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઇ રહી હતી. સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર સિગ્નલની સમસ્યાના કારણે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઇ હતી. સિગ્નલ મળતાં બિલાસપુર-ભાગત કી કોઠી પેસેંજર ટ્રેન આગળ નિકળી.

તો બીજી તરફ પાટા પર માલગાડી નાગપુર તરફ જઇ રહી છે. રેલવે સિગ્નલ ન મળતાં તે ગોંદિયા ગેટ પાસે પેસેંજર ટ્રેને માલગાડીને ટક્કર મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે રેલ અકસ્માતમાં 53 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 13ને સામાન્ય ઇજા પહોંચી છે.

આ પણ વાંચોઃ Nag darshan at somnath:શ્રાવણ કૃષ્ણ પંચમી નિમિત્તે સોમનાથ મહાદેવને નાગ દર્શનનો શણગાર કરવામાં આવ્યો..

Gujarati banner 01