Affected trains of Rajkot division: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર
Affected trains of Rajkot division: બીલીમોરા-અમલસાડ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

રાજકોટ, 20 એપ્રિલ: Affected trains of Rajkot division: પશ્ચિમ રેલ્વેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડ માં એન્જિનિયરિંગ કાર્ય માટે 4 કલાક 30 મિનિટનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:-
- 21 એપ્રિલ, 2025 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને 2 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
- ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને ૨ કલાક ૩૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે.
- ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧૫ દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગ માં ૦૧ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
આ પણ વાંચો:- World Heritage Day: રાજકોટ ડિવિઝને પ્રતિષ્ઠિત સ્ટીમ એન્જિન પ્રદર્શન સાથે વર્લ્ડ હેરિટેજ દિવસ ની ઉજવણી કરી
ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.