Brahma Kumaris Corona Isolation Centre

Brahma Kumaris Corona Isolation Centre: આબુરોડ બ્રહ્માકુમારીઝ આઇસોલેશન કેન્દ્ર કોરોના દર્દીઓની રિકવરી રેટમા સૌથી આગળ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 23 એપ્રિલ
: Brahma Kumaris Corona Isolation Centre: આબુરોડ બ્રહ્માકુમારીઝ આઇસોલેશન કેન્દ્રમા કોરોના દર્દીઓની રિકવરી રેટમા સૌથી આગળ સાબિત થયું છે આબુરોડ પાસેના કિવરલી ગામે જોધપુર વિસ્તારનું સૌથી મોટું બ્રહ્માકુમારીઝ માનસરોવર આઇસોલેશન કેન્દ્રની સુંદર કામગીરી સામે આવી છે.

આ કેન્દ્ર મા કોરોના દર્દીઓનો રિકવરી રેટ 95 ટકા જોવા મળ્યો. અહી 800 બેડવાળા આઇસોલેશન કેન્દ્ર મા 1082 કોરોના દર્દી દાખલ કરવામાં આવ્યા હતા. 974 કોરોના દર્દી સાજા થઇ ઘરે પહોંચ્યા. હાલમાં 78 દર્દી સારવાર હેઠળ છે. આ કેન્દ્ર મા આજદિન સુધી કોઇપણ વ્યક્તિ નું મોત થયું નથી. 137 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અહી દર્દીઓને યોગ, મેડીટેશન અને દવા થી દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે. તમામ દર્દીઓને સવારે અને સાંજે ભોજન, ચા અને નાસ્તો આપવામાં આવે છે. ડોકટરો ની ટીમ સતત સેવા બજાવે છે અને દર્દીઓના મો પર કોરોનાને મ્હાત આપી ઘરે પરત જતા સ્મિત સાથે ના ચહેરાઓ સાથે પોતાના કાર્ય બજાવવાનો આનંદ અનુભવે છે.

આ પણ વાંચો:-Amritpal Singh Arrested: પંજાબ પોલીસે ભાગેડુ અમૃતપાલ સિંહની ધરપકડ કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો