CM Arvind Kejriwal

CM Arvind Kejriwal Relief: લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના CM કેજરીવાલને મોટી રાહત, કોર્ટે જામીન મંજૂર કર્યા- વાંચો વિગત

CM Arvind Kejriwal Relief: રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને 15 હજારના બોન્ડ પર જામીન આપી દીધા .

નવી દિલ્હી, 16 માર્ચઃ CM Arvind Kejriwal Relief: દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8થી વધુ વખત સમન્સ મોકલ્યા હતા. હવે આ મામલે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખુદ સીએમ કેજરીવાલ હાજર રહ્યા હતા. તેમણે જામીનની માગ કરી હતી અને તેમને જામીન મળી ગયા હતા.

આ પણ વાંચોઃ PM Modi writes a letter: લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા PM મોદીએ 140 કરોડ ભારતીયોને પરિવાર ગણાવી લખ્યો પત્ર- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં આ મામલે સુનાવણી થઇ હતી. દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા હાજર થવા માટે કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા હતા અને આખરે આ મામલો કોર્ટ પહોંચ્યો હતો. કેજરીવાલ લગભગ 8 વખત સમન્સની અવગણના કરી ચૂક્યા હતા. રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને 15 હજારના બોન્ડ પર જામીન આપી દીધા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો