DD News New Logo: ડીડી ન્યૂઝના લોગોનો રંગ લાલથી બદલીને કેસરી થતાં વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર, કહ્યું- ‘દૂરદર્શનનું ભગવાકરણ’
DD News New Logo: તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના પૂર્વ CEO જવાહર સિરકરે આ લોગો ફેરફારની આકરી ટીકા કરી
નવી દિલ્હી, 20 એપ્રિલઃ DD News New Logo: લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટી ઘટના બની છે. પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને ડીડી ન્યૂઝના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને કેસરી કરી દીધો છે. ડીડી ન્યૂઝના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ મામલે જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવાયું કે, ‘જો કે અમારા મૂલ્યો એ જ છે, અમે હવે નવા અવતારમાં હાજર થયા છીએ. હવે એવી સમાચાર યાત્રા માટે તૈયાર થઈ જાઓ જે પહેલાં ક્યારેય જોઈ નહોતી… એકદમ નવા DD ન્યૂઝનો અનુભવ કરો.’
While our values remain the same, we are now available in a new avatar. Get ready for a news journey like never before.. Experience the all-new DD News!
— DD News (@DDNewslive) April 16, 2024
We have the courage to put:
Accuracy over speed
Facts over claims
Truth over sensationalism
Because if it is on DD News, it… pic.twitter.com/YH230pGBKs
જોકે ડીડી ન્યૂઝનો આ નિર્ણય વિપક્ષને માફક આવ્યો નથી. તે ફેરફારથી નારાજ જોવા મળી રહ્યો છે. આ મામલે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના પૂર્વ CEO જવાહર સિરકરે આ લોગો ફેરફારની આકરી ટીકા કરતાં તેને ‘દૂરદર્શનનું ભગવાકરણ’ ગણાવ્યું છે.
As ex CEO of Prasar Bharati it hurts to see the saffronisation of Doordarshan’s logo
— Jawhar Sircar (@jawharsircar) April 20, 2024
— just before elections!
It will influence voters, by overlaying the colour one religion and Sangh parivar colour with a ‘neutral’ Public Broadcaster and a biassed Govt/Regime! pic.twitter.com/g7m0PH9nMf
તેમણે X પર લખ્યું કે, ‘રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગો ભગવા રંગે રંગી નાખ્યો છે! તેના પૂર્વ CEO તરીકે મને આ ભગવાકરણ પર ચિંતા થઇ રહી છે અને હું એવું અનુભવું છું કે હવે આ પ્રસાર ભારતી નથી પણ પ્રચાર ભારતી બની ગઈ છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો