Himanchal landslide: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટો અકસ્માત, પ્રવાસીઓની ગાડી પર ભેખડ ઘસી પડતા ૯ લોકોના મોત
Himanchal landslide: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા ૯ લોકોના મોત થયા છે
નવી દિલ્હી, ૨૫ જુલાઈ: Himanchal landslide: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા ૯ લોકોના મોત થયા છે. આ હાદસા માં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. ભૂસ્ખલન બાદ ટેમ્પો મુસાફરો પર ખડકો પડી જતા આ અકસ્માત સર્જાયો હતો.
મળી જાણકારી અનુસાર હાદસો બપોરે 1.30 વાગ્યે થયો. કાર માં સવાર પર્યટક દિલ્હી અને ચંડીગઢ થી હિમાચલ ફરવા માટે આવ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો