Mann ki baat: મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું
Mann ki baat: પ્રધાનમંત્રીએ 24 ઓક્ટોબર, 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું
નવી દિલ્હી, ૧૬ ઓક્ટોબર: Mann ki baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 82મા એપિસોડ માટે નાગરિકોને તેમના વિચારો જણાવવા હાકલ કરી છે, જે રવિવાર, 24 ઓક્ટોબર, 2021ના રોજ પ્રસારિત થશે. મન કી બાત માટેના વિચારો નમો એપ, MyGov પર શેર કરી શકાય છે અથવા તમારો સંદેશ 1800-11-7800 ફોન નંબર પર રેકોર્ડ કરી શકાય છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આ મહિને, #MannKiBaat કાર્યક્રમ 24 તારીખે થશે. હું તમને બધાને આ મહિનાના એપિસોડ માટે તમારા વિચારો શેર કરવા આમંત્રણ આપું છું. નમો એપ, @mygovindia પર લખો અથવા તમારો સંદેશ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 ડાયલ કરો. https://t.co/QjCz2bvaKg“