Bharuch bulk drug park PM modi

Modi Government Decision: મોદી સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય, વાંચો વિગતે…

Modi Government Decision: સરકાર આગામી મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવા જઈ રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે

નવી દિલ્હી, 31 ઓગસ્ટઃ Modi Government Decision: કેન્દ્ર સરકારે આજે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. હકીકતમાં સરકાર આગામી મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવા જઈ રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશીએ ટ્વિટર દ્વારા તેની જાહેરાત કરી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

મોદી સરકારના આ નિર્ણય બાદ કેટલાય પ્રકારના અનુમાનો લગાવામાં આવી રહ્યા છે. આ જાહેરાત ત્યારે થઈ છે, જ્યારે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈંડિયાની મહત્વની બેઠક ગુરુવાર અને શુક્રવારે થવા જઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ લખ્યું કે, સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બરે બોલાવામાં આવશે. જેમાં 5 બેઠક થશે. અમૃત કાળ દરમ્યાન સંસદનું વિશેષ સત્રમાં સાર્થક ચર્ચા થવાના અણસાર છે.

અહીં ઉલ્લેખનિય છે કે, આ ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે. આગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે. આ અગાઉ રાજનીતિમાં અલગ અલગ ઘટનાઓ જોવા મળી રહી છે. એક તરફ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંભઈમાં ઈંડિયા ગઠબંધનની બેઠક થઈ રહી છે. તો બીજી તરફ મોદી સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે.

આ પણ વાંચો… Cyclone in America: અમેરિકામાં તબાહી મચાવી રહ્યું ચક્રવાત ઈડાલિયા, અધધ આટલી ફ્લાઈટ્સ થઈ રદ્દ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો