New election commissioner: સુખવીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર
New election commissioner: કોંગ્રેસના સિનીયર નેતા અધીર રંજન ચૌધરીએ આ પસંદગી પ્રક્રિયા પર પોતાની અસહમતી વ્યક્તિ કરી છે.
દિલ્હી, 14 માર્ચ: New election commissioner: સુખવીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમાર નવા ઇલેક્શન કમિશનર બનશે. આ નિયુક્તિ પર ચૂંટણી સમિતિએ પોતાની મહોર લગાવી દીધી છે.
આ પણ વાંચોઃ Amit shah talk about CAA: સીએએ સાથે જોડાયેલી ચિંતાઓ અને આશંકાઓ પર સ્પષ્ટતા કરી અમિત શાહે, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચૂંટણી આયુક્તોની પસંદગી માટે સમિતીની બેઠક થઇ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. અટકળો લગાવવામાં આવી રહી છે, કે બંને ચૂંટણી કમિશનની નિયુક્તિને આજે સાંજ સુધીમાં જાહેરાત થઇ શકે છે.