train 8

Shanti Express Departure changed: ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ હવે અમદાવાદ થી દોડશે

Shanti Express Departure changed: 15 એપ્રિલ થી ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગરને બદલે અમદાવાદ થી દોડશે.

whatsapp banner

અમદાવાદ, 12 એપ્રિલ: Shanti Express Departure changed: મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, અમદાવાદ-સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કાર્યએ હવે વેગ પકડ્યો છે. આ સંબંધમાં અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

આ પણ વાંચો:- Amdavad-Danapur Summer Train: અમદાવાદ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન; વાંચો વિગતે…

  • 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી, ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલના સ્થાને અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 14 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી, ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો