Shanti Express Departure changed: ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ હવે અમદાવાદ થી દોડશે
Shanti Express Departure changed: 15 એપ્રિલ થી ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગરને બદલે અમદાવાદ થી દોડશે.
અમદાવાદ, 12 એપ્રિલ: Shanti Express Departure changed: મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, અમદાવાદ-સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કાર્યએ હવે વેગ પકડ્યો છે. આ સંબંધમાં અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
આ પણ વાંચો:- Amdavad-Danapur Summer Train: અમદાવાદ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન; વાંચો વિગતે…
- 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી, ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલના સ્થાને અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 14 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી, ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.