Doors of kedarnath will open: આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, બે વર્ષ પછી ભક્તોને થશે મહાદેવના દર્શન
Doors of kedarnath will open: અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી ગયા
નવી દિલ્હી, 06 મેઃ Doors of kedarnath will open: આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે
ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે. કોરોનાકાળના બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામના કપાટ આમ શ્રદ્ધાંળુઓ માટે ખુલી રહ્યાં છે.