CM Jagannath Temple darshan: મુખ્યમંત્રી અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું
CM Jagannath Temple darshan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌ માતા પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું
અમદાવાદ, ૧૪ જાન્યુઆરીઃ CM Jagannath Temple darshan: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું મહાત્મ્ય છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહજતા પૂર્વક નિભાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિ ના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું . તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ નું અભિવાદન પણ ઝીલ્યું હતું
ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.