Nadiad station

Nadiad Station train stoppage update: નડિયાદ સ્ટેશન પર હવે થી આ ટ્રેનો રોકાશે; અહી જુઓ લિસ્ટ…

Nadiad Station train stoppage update: નડિયાદ સ્ટેશન ઉપર ટ્રેનોને આપવામાં આવ્યા વધારાના સ્ટોપેજ

 નડિયાદ, 13 માર્ચ: Nadiad Station train stoppage update: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના નડિયાદ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20935 ગાંધીધામ – ઈન્દૌર સુપરફાસ્ટ, 19483/19484 અમદાવાદ – બરૌની એક્સપ્રેસ, 19435/19436 અમદાવાદ – આસનસોલ એક્સપ્રેસ અને 16733/16734 રામેશ્વરમ – ઓખા એક્સપ્રેસ,  12215 દિલ્લી સરાય રોહિલ્લા – બાન્દ્રા(ટી) ગરીબ રથ એક્સપ્રેસ, 69116(09274) અમદાવાદ – આણંદ મેમૂને નડિયાદ સ્ટેશન ઉપર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ ટ્રેનોનું વર્ણન આ પ્રકારે છે :

1.  દિલ્લી સરાય રોહિલ્લા થી 14.03.2024 થી યાત્રા શરૂ કરનારી 12215 દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા(ટી) ગરીબ રથ એક્સપ્રેસને નડિયાદ સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 15.03.2024 થી રાત્રે 01:29 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 01:31 કલાકે પ્રસ્થાન કરશે.

2.  અમદાવાદથી  13.03.2024 થી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર (09274) અમદાવાદ – આણંદ મેમૂને નડિયાદ સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 14.03.2024 થી રાત્રે 00:58 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 00:59 કલાકે પ્રસ્થાન કરશે. 

3.  ગાંધીધામ થી 18.03.2024 થી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસને નડિયાદ સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 19.03.2024 થી રાત્રે 00:07 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 00:09 કલાકે પ્રસ્થાન કરશે. 

આ પણ વાંચો:- NHAI Updates FASTag Provider List : NHAIની સુધારેલી યાદી મુજબ હવે આ બેંકો અથવા NBFCs FASTag સેવા ઉપલબ્ધ રહેશે- વાંચી લો લિસ્ટ

4. અમદાવાદથી 13.03.2024 થી અને બરૌનીથી 13.03.2023 થી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 19483/19484  અમદાવાદ-બરૌની એક્સપ્રેસને નડિયાદ સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 19483  અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રાત્રે 01:14 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 01:16 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ 15.03.2024 થી સવારે 10:39 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 10:41 કલાકે પ્રસ્થાન કરશે.

5. અમદાવાદથી 14.03.2024 થી અને આસનસોલથી 16.03.2023 થી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 19435/19436  અમદાવાદ -આસનસોલ એક્સપ્રેસને નડિયાદ સ્ટેશનમાં વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 19435  અમદાવાદ -આસનસોલ એક્સપ્રેસ રાત્રે 01:14 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 01:16 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 19436 આસનસોલ અમદાવાદ એક્સપ્રેસ 18.03.2024 થી સવારે 10:39 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 10:41 કલાકે પ્રસ્થાન કરશે.

6. રામેશ્વરથી 15.03.2024 થી અને ઓખાથી 19.03.2023 થી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 16733/16734 રામેશ્વર -ઓખા એક્સપ્રેસને નડિયાદ સ્ટેશનમાં વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 16733 રામેશ્વર – ઓખા એક્સપ્રેસ 17.03.2024 થી રાત્રે 23:25 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 23:27 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 16734 ઓખા – રામેશ્વર એક્સપ્રેસ 19.03.2024 થી સાંજે 18:31 કલાકે નડિયાદ સ્ટેશન પહોંચશે અને 18:33 કલાકે પ્રસ્થાન કરશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો