Reliance Jio યુઝર્સ માટે ખાસ ઓફરઃ આ ગ્રાહકોને મળશે ફ્રી ટોકટાઇમનો લાભ- વાંચો ઓફર વિશે…

મુંબઇ, 15 મેઃ Reliance Jio રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળી પ્રતિ મહિને 300 મિનિટ ફ્રી ટોકટાઇમ આપવાનું કામ કરી રહ્યું છે. આ સ્કીમનો ફાયદો કંપનીના JioPhone યૂઝર્સને મળશે, જે આ મહામારીને કારણે રિચાર્જ કરાવવામાં સક્ષમ નથી. આ સુવિધાના માધ્યમથી યૂઝર્સ દરરોજ 10 મિનિટ સુધી કોઈપણ નેટવર્ક પર વાત કરી શકશે. 

Whatsapp Join Banner Guj

રિલાયન્સ જીયો(Reliance Jio)એ પીટીઆઈને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, તે આ પ્રકારની પ્રથમ કંપની હશે, જેણે પોતાના યૂઝર્સ માટે ફ્રી ટોકટાઇમની જાહેરાત કરી છે. જીયોનું કહેવું છે કે કોરોના સંક્રમણને કારણે દેશના લગભગ બધા રાજ્યોમાં લૉકડાઉન લાગેલું છે. તેના કારણે યૂઝર્સને રિચાર્જ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. 

ADVT Dental Titanium

કંપનીએ કહ્યું કે, ફ્રી ટોકટાઇમ સિવાય દરેક  JioPhone પ્લાન રિચાર્જ કરવા પર  JioPhone યૂઝર્સને તે વેલ્યૂનો વધારાનો રિચાર્જ પ્લાન ફ્રીમાં મળશે. આ રિચાર્જમાં તમને ડબલ બેનિફિટ પ્રાપ્ત થશે. પરંતુ કંપનીએ કહ્યું કે, આ ઓફર વાર્ષિક કે  JioPhoneબંડલ્ડપ્લાન પર લાગૂ નથી. આ પ્લાનની સુવિધા તે લોકોને નહીં મળે જેના નંબર પર એકથી વધુ સુવિધાવાળો કોઈ એક્ટિવ પ્લાન છે. 

આ પણ વાંચો…..

વેક્સિનને લઇને AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr Randeep guleria)એ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું…?