Gujarat police 600x337 1

Gujarat Police Decidion: હેર સલૂન અને બ્યુટી પાર્લરને લઇ ગુજરાત પોલીસનો મોટો આદેશ- વાંચો વિગત

Gujarat Police Decidion: રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે

અમદાવાદ, 03 જાન્યુઆરીઃ Gujarat Police Decidion: સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 7મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

આ નિયંત્રણો યથાવત રહેશે

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂ રહેશે.
  • રાત્રિના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂં.
  • 8 મહાનગરમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્સ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે.
  • કર્ફ્યૂ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું.

રાજ્યમાં ગઈકાલે 1069 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદમાં જ 559 કેસ હતા. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા હતા.

સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે.

આ પણ વાંચોઃ Weather forecast: રાજ્યમાં આ તારીખે કમોસમી વરસાદની આગાહી, વાંચો વિગત

Whatsapp Join Banner Guj