Heavy wind forecast: માછીમારોને સમુદ્રમાં નહિ જવા આપી સૂચના 4 દિવસ સુધી સમુદ્રકિનારે 4૦થી5૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી
Heavy wind forecast: પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરીજણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને લીધે માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ આપવામાં આવેલ છે પોરબંદર થી દરિયામાં માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે
પોરબંદર, 25 મેઃHeavy wind forecast: પોરબંદરના બંદર પરથી મોટી સખ્યામાં બોટો દરિયામાં માછીમારી કરવા જાય છે, હાલ પરિસ્થિતિ એ મોટોભાગની બોટો દરિયા કિનારે લાંગરી દીધી છે. ડીઝલના ભાવ વધારાને કારણે માછીમારો ની હાલત કફોડી જોવા મળી રહી છે કોરોના મહામારી કારણે મત્સ્ય ઉદ્યોગ ને મોટી અસર પહોંચી હતી.
વધતા જતા ડીઝલના વધારો અને દરિયાઇ પ્રદૂષણ ના કારણે માછીમારો હાલત કફોડી બની છે, ત્રણ માસમાં વધતા જત્તા ડીઝલ ભાવ વધારા ના કારણે ૯૦ટકા બોટ દરિયાઇ કિનારે લાંગરી દીધી છે ડીઝલના ભાવ વધારાના કારણે માછીમારો વ્યવસાય મરણ પથારી લાવી દીધો છે.
આ પણ વાંચોઃ Kapil Sibal leaving Congress party: કપિલ સિબ્બલે છોડયો કોંગ્રેસનો હાથ, હવે આ પાર્ટીમાં જોડાશે- વાંચો વિગત
હાલ માજ સમાચાર મળી રહ્યા છે કે, ૨૪થી ૨૮ સુધી સૌરાષ્ટ્ર સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહીછે જેના પગલે પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને લીધે માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ આપવામાં આવેલ છે પોરબંદર થી દરિયામાં માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)