સ.સં. ૧૯૫૧ padma kuvarba dylasis centre 2

રાજકોટની પદ્મ કુવરબા હિમોડાયાલિસિસ સેન્ટરમાં દર્દીનું ડાયાલિસીસ માટેનું ડાયાલાઈઝર ત્વરિત ચાલુ કરાવડાવ્યું

Padma kuvarba dylasis centre Rajkot
  • આરોગ્ય સેવા માટે સદાય તત્પર રૂપાણી સરકારનું ડેશ બોર્ડ
  • રાજકોટની પદ્મ કુવરબા હિમોડાયાલિસિસ સેન્ટરમાં દર્દીનું ડાયાલિસીસ માટેનું ડાયાલાઈઝર ત્વરિત ચાલુ કરાવડાવ્યું
  • સેન્ટરમાં એરકન્ડીશન અને ડાયાલાઈઝર બંધ પડી જતાં સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમારા સૂચનને ધ્યાને લઇ તુર્ત જ નિરાકરણ લાવી સુવિધામાં વધારો કરાવ્યો: લીનાબેન દીપકભાઈ યશવંતે (દર્દી)

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૧૧ નવેમ્બર: રાજકોટની પદ્મા કુવરબા હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. જેમાં દર્દીઓની ડાયાલિસીસ પ્રક્રિયા કરવામાં આવે છે.

દર્દી લીનાબેન દીપકભાઈ યશવંતે આજ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી ડાયાલીસીસ કરાવે છે. ગત માસે તેમના પતિ દીપકભાઈ યશવંતેને ગાંધીનગર સ્થિત સી.એમ. ડેશ બોર્ડમાંથી સારવાર સુવિધા અંગે પૂછવામાં આવતા એ સમય દરમ્યાન અહીં ટેકનિકલ કારણોસર એસી તેમજ ડાયાલાઈઝર બંધ થઈ જતા હોવાનું હકારાત્મક સૂચન કરવામાં આવ્યું. પછી ગાંધીનગર ખાતેથી તવરિત રિસ્પોન્સ મળતા અહીં બંધ પડેલ એ.સી. તેમજ ડાયાલાઈઝર મશીન શરૂ કરી આપવામાં આવતા દીપકભાઈએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવા માં કોઈ કસર છોડી નથી. ખાનગી સ્થળે મળતી મોંઘી સુવિધા સામે અમને અહીં નિશુલ્ક ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.

Padma kuvarba dylasis centre Rajkot

અન્ય એક દર્દી જૈન સાધ્વી અરુણાજી મહાસતી પહેલા ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા હતા, જેવો હવે અહીં નિયમિત આવે છે. તેઓ જણાવે છે કે તેમનો સ્ટાફ સરળ હૃદયનો છે. જે રીતે યોગદાન આપી રહ્યા છે તે લેખે લાગે છે. આટલા બધા દર્દીઓને સાચવી સારવાર કરે છે. તેમની કર્મદક્ષતા અમને ખૂબ ગમી ગઈ છે. અહીંયા ચોખ્ખાઈ ખૂબ સરસ છે, જેનાથી મન પ્રસન્ન રહે છે. ગુજરાત સરકાર ખૂબ સારી સુવિધા પુરી પાડી રહી છે જે માટે હું દિલથી તેમનો આભાર માનું છું

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ દર્દીઓને રૂપિયા ૩૦૦ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીનના એરીથ્રોકોએટીન  ઈન્જેક્શન નિઃશુલ્ક આપવામાં આવતું હોવાનું હેડ ટેકનિશિયન નયન શીશાંગીયા જણાવે છે. અમારા માટે ક્રેડિટ એ છે કે અહીં રાજકોટની ખ્યાતનામ ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ ટ્રાન્સફર થઇ ડાયાલિસીસ માટે આવતા હોવાનું આર.એમ.ઓ. ડો. નૂતન જણાવે છે.

સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય લક્ષી સેવાઓ વધુ ને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર શુશ્રુષામા ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.