અશ્રુ ભીની આંખે સિવિલના આરોગ્ય યોધ્ધાઓની સેવાને સલામ કરતા કોરોના દર્દીના સ્નેહીજનો

  આરોગ્ય કર્મીઓને ભગવાન કહીને આભાર માનતા બાવન વર્ષીય ગોવિંદભાઈ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: કોઈપણ પરિવારનો માળો ન વિખરાઈ તે માટે આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી કલોક … Read More

દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ

રાજકોટના કોવીડ કેર સેન્ટરોમાં દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ કોરોનાના દર્દીઓની શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને લયબધ્ધ કરવા ફિઝિયોથેરાપીસ્ટોના માર્ગદર્શનમાં કરાવવામાં આવી રહી છે બ્રિધીંગ એકસરસાઈઝ ૫૦ વર્ષથી વધુ … Read More

રાજકોટ ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા દાસજીનો પ્રેરક સંદેશ

કોરોના રૂપી અસુર સામે વિજ્ય થવાનો એક જ માર્ગ છે, જરૂરી સાવચેતી સાથે શ્રધ્ધા અને શાંતિ, રાખો આ સમય પણ ઝડપથી પસાર થઈ જશે અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૬ સપ્ટેમ્બર: ‘‘હરે ક્રિષ્ના … Read More

સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચે સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ

દવા બનાવતી કંપનીના સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચેની ગેરસમજ દૂર કરી સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ સુરત, ૨૬ સપ્ટેમ્બર: સુરત ૧૮૧ મહિલા અભયમ ટીમ સચિન જીઆઇડીસી વિસ્તારમાં દવા … Read More

બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના … Read More

દર્દીઓની સારવારમાં વિક્ષેપ ઉભો ન થાય માટે બાયોમેડીકલ ઈજનેરો અહર્નિશ સેવારત

તબીબી ક્ષેત્રના યંત્રોની સર્વિસરીપેરીંગ કાર્ય કરી માનવ જીવ બચાવવાના યજ્ઞમાં આહુતિ આપતા બાયોમેડીકલ ઈજનેર સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: દર્દીઓની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત-નિપુણ તબીબો ઉપરાંત મેડીકલ ક્ષેત્રના સાધનયંત્રો એટલા જ અનિવાર્ય છે. દર્દીઓને સારવાર આપવામાં અનેક આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીમા ઘણાં દર્દીઓ હ્રદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે તેમની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોસાધનોની સમયાંતરે સર્વિસ અને મરામત કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ કોરોના મહામારીમાં આધુનિક મેડિકલ સાધનો-યંત્રોનું ૮ જેટલા બાયોમેડીકલ ઈજનેરો દિવસ-રાત ખડેપગે સર્વિસ અને મરામતનું કાર્ય કરી રહ્યા છે અને આ સંકટના સમયમાં માનવજીવન બચાવવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડીકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા બિલીમ અખ્તર કહે છે કે, આઈસીયુKTCHI ના યંત્રોની સર્વિસ અને મરામતનું  કાર્ય 24 X 7 અમારી ટીમ કરી રહી છે. કોરોના મહામારીમાં ગંભીર રોગથી પીડાતા ઘણાં દર્દીઓના જીવ જોખમમા મુકાયેલા હોય છે. ત્યારે આ યંત્રોની વ્યવસ્થિત જાળવણીની જવાબદારી અમારા શિરે રહેલી હોય છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિક્ષેપ ઉભો ન થાય તેની સતત તકેદારી લેવામાં આવી રહી છે.   કોવિડનોન કોવિડના કોઈ પણ વોર્ડમાં આવેલ યંત્રોમાં ખામી સર્જાય તો, ત્વરિત મોબાઈલટેલીફોનના માધ્યમથી અમારી ટીમને જાણ કરવામાં આવે છે. જેથી અમારી ટીમ દ્વારા ત્વરિત આ મેડીકલ ઉપકરણોની સર્વિસમરામત કરી મશીનને પૂર્વવત કરવામાં આવે છે. આમ, આ તબીબી ઉપકરણો ખામી સર્જાવાના સમયે  ત્વરિત પ્રતિભાવ આપી તેનું સત્વરે રીપેરીંગ કરવામાં  આવે છે. જેથી કોરોનારૂપી આવી પડેલા આ સંકટમાં મહામૂલી માનવજીંદગી બચાવી શકાય. તેમ  શ્રી બેલીમે ઉમેર્યું હતું. loading…

રાજકોટ સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન વપરાશમાં નોંઘપાત્ર ઘટાડો: એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ

હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે દર્દીઓની તબિયત સુધારા પર એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર ક્યાડાએ આપી જાણકારી સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ અને … Read More

આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે એકવાર પીપીઈ કીટ … Read More

સમરસ હોસ્ટેલ : ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય

સમરસ હોસ્ટેલ : જ્યાં અનુભવાય છે, પારિવારિક સંવેદનાઓ ડાયાબિટીઝ, શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારી ધરાવતા ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોના મહામારીને નાથવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની સાથે સમરસ હોસ્ટેલ ખાતે પણ … Read More

પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે

પ્લાઝમા ડોનેટ કરી સામાજિક જવાબદારીનુ વહન કરતા ડો. અંકુર પારેખ :  બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની દર્શાવી તત્પરતા “પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે”: ડો. અંકુર … Read More