33730d8c ef09 40ea b2ef 8f60cc17beaa

પીએમ મોદીએ ગુજરાત માટે જાહેર કર્યુ 1 હજાર કરોડનું રાહત પેકેજ(rahat package): મૃતકોના પરિવારને 2 લાખની સહાય- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 19 મેઃ ગુજરાતને ઘમરોળનાર તાઉતેથી રાજ્યને થયેલા નુકશાનનું હવાઈ નિરીક્ષણ કરવા આવેલા વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના અસરગ્રસ્તો માટે ૧૦૦૦ હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.જે અંતર્ગત મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય(rahat package) આપવામાં આવશે.

સોમવાર મધરાતથી મંગળવાર રાત સુધી ગુજરાતમાં તારાજી સર્જનાર ચક્રવાત તાઉતેથી થયેલા જાન-માલના નુકશાનની જાત માહિતી મેળવવા માટે વડાપ્રધાન મોદી બુધવારે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.તેઓ નવી દિલ્હીથી વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ગુજરાતના સૌથી વધારે અસરગ્રસ્ત ત્રણ જીલ્લા ભાવનગર,ગીર-સોમનાથ અને અમરેલીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ વિમાનીમથકે તેઓએ રાજ્યના ઉંચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.ત્યારબાદ તેમણે ગુજરાતના અસરગ્રસ્તો માટે ૧૦૦૦ કરોડ રૂપિયાના પેકેજ(rahat package)ની જાહેરાત કરી હતી.

Whatsapp Join Banner Guj


નોંધનીય છે કે, જાહેરાત કરેલા પેકેજ(rahat package) અંતર્ગત વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે જયારે ધાયલ થયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

Meeting with PM: મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક