jetha bharwad

Jetha Bharwad targeted Arvind Kejriwal: જેઠા ભરવાડે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું, વિવાદાસ્પદ નિવેદન કર્યું

Jetha Bharwad targeted Arvind Kejriwal: પંચમહાલના શહેરા ખાતે આજે મળેલી સભામાં જેઠા ભરવાડે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

અમદાવાદ, 22 નવેમ્બર: Jetha Bharwad targeted Arvind Kejriwal: કેજરીવાલ અમારે ત્યાં આવ્યા છે અને દિલ્હી પહેરેલા કપડે મોકલી દઈશું. ગુજરાતી પ્રજાનો મિજાજ અલગ હોય છે. બીજેપીથી અમારી જનતા ખુશ છે. પંચમહાલના શહેરા ખાતે આજે મળેલી સભામાં જેઠા ભરવાડે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે કેજરીવાલ દિલ્હીથી ગુજરાત આવ્યા છે. 

અમે કેજરીવાલને પહેરેલા કપડામાં પાછા મોકલીશું અને ગુજરાતમાં ભાજપની જ સરકાર બનવા જઈ રહી છે અને જેઠાભાઈ ભરવાડે કેજરીવાલને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે કેજરીવાલમાં હિંમત હોય તો શહેરામાં આવીને ચૂંટણી લડે. કેજરીવાલ દેશના ભાગલા પાડી રહ્યા છે. તેમ જેઠા ભરવાડે કહ્યું હતું. 

આ પણ વાંચો:- AAP cm face isudan gadhvi: ગુજરાતમાં માત્ર આટલા ટકા લોકો ઇસુદાનને સ્વીકારે છે CM તરીકે….

આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર ચૂંટણીને લઈને શરુ રાખ્યો છે ત્યારે આજે પંચમહાલ શેહરા ખાતે  કેન્દ્રીય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની સભાનું આયોજન કરાયું હતું. જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે આ નિવેદન આપ્યું હતું.

ખાસ કરીને આજે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે કેમ કે, આ વખતે આપ પાર્ટી પણ ગુજરાતમાં ઈલેક્શન લડી રહી છે ત્યારે તેઓ દક્ષિણ ગુજરાતના આજે પ્રવાસે ત્યારે આપ પાર્ટી પર પણ શાબ્દિક પ્રહારો નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

Gujarati banner 01