CM Teachers Day 2 1 scaled

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો

CM Teachers Day

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર
શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો
……

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

૦૫ સપ્ટેમ્બર, ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને ગાંધીનગરની શાળાના બાળકો પહોચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે સહજ સંવાદ કરીને ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું.

આ વેળાએ જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન, જિલ્લા શિક્ષણાઅધિકારી શ્રી વાઢેર અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

banner city280304799187766299