Ahmedabad-Darbhanga: અમદાવાદ-મુઝફ્ફરપુર અને અમદાવાદ-દરભંગા જનસાધારણ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત

Ahmedabad-Darbhanga: ટ્રેન નંબર 05270 અને 05560 માટે બુકિંગ 27 મી જૂન, 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

અમદાવાદ, ૨૫ જૂન: Ahmedabad-Darbhanga: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને દરભંગા માટે ચલાવવામાં આવતી જનસાધન ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવામાં આવી છે. આ ટ્રેનો સંપૂર્ણ રીતે આરક્ષિતરૂપે ચાલશે. જે નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 05270/05269 અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ સાપ્તાહિક ફેસ્ટિવલ જનસાધરણ સ્પેશિયલ

અમદાવાદથી દર શનિવારે ચાલતી ટ્રેન નંબર 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશિયલ 28 ઓગસ્ટ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આવી જ રીતે ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશિયલ જે મુઝફ્ફરપુરથી દર ગુરુવારે ચલાવવામાં આવી રહી છે જેને 26 ઓગસ્ટ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

આ પણ વાંચો…મધ્યપ્રદેશમાં ગજબનો ગોટાળો: મનરેગા(marega yojana) હેઠળ દીપિકા પાદુકોણ અને જૅક્લીન ફર્નાન્ડીઝ પણ કરે છે મજૂરી- વાંચો શું છે મામલો?

2. ટ્રેન નંબર 05560/05559 અમદાવાદ-દરભંગા-અમદાવાદ (Ahmedabad-Darbhanga) સાપ્તાહિક ફેસ્ટિવલ જનસાધરણ સ્પેશિયલ

અમદાવાદથી દર શુક્રવારે ચાલતી ટ્રેન નંબર 05560 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ 27 ઓગસ્ટ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવીછે. આવી જ રીતે ટ્રેન નંબર 05559 દરભંગા – અમદાવાદ સ્પેશિયલ જે દરભંગાથી(Ahmedabad- Darbhanga) દર બુધવારે ચલાવવામાં આવી રહી છે જેને 25 ઓગસ્ટ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

Ahmedabad-Darbhanga: ટ્રેન નંબર 05270 અને 05560 માટે બુકિંગ 27 મી જૂન, 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.