Ankleshwar Station: સુરત – મહુવા સુપરફાસ્ટ ટ્રેનનું અંકલેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ
Ankleshwar Station: સુરત – મહુવા સુપરફાસ્ટ ટ્રેને 20મી ફેબ્રુઆરી, 2024થી અંકલેશ્વર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપ્યું
વડોદરા, 21 ફેબ્રુઆરી: Ankleshwar Station: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 20મી ફેબ્રુઆરી, 2024થી ટ્રેન નંબર 20956/20955 સુરત-મહુવા સુપરફાસ્ટ ટ્રેન માટે અંકલેશ્વર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપ્યું છે.
આ પણ વાંચો:- Mobile ban in UK school: UKની શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ, PM ઋષિ સુનકે ક્રિએટિવ રીતે સમજાવ્યુ કારણ- જુઓ વીડિયો
ટ્રેન નંબર 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વર સ્ટેશને 22.23 કલાકે પહોંચશે અને 22.25 કલાકે ઉપડશે. એ જ રીતે, ટ્રેન નંબર 20956 મહુવા – સુરત સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વર સ્ટેશને 05.18 કલાકે આવશે અને 05.20 કલાકે ઉપડશે.
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.