passenger train 4

Ankleshwar Station: સુરત – મહુવા સુપરફાસ્ટ ટ્રેનનું અંકલેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ

Ankleshwar Station: સુરત – મહુવા સુપરફાસ્ટ ટ્રેને 20મી ફેબ્રુઆરી, 2024થી અંકલેશ્વર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપ્યું

વડોદરા, 21 ફેબ્રુઆરી: Ankleshwar Station: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 20મી ફેબ્રુઆરી, 2024થી ટ્રેન નંબર 20956/20955 સુરત-મહુવા સુપરફાસ્ટ ટ્રેન માટે અંકલેશ્વર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપ્યું છે.

આ પણ વાંચો:- Mobile ban in UK school: UKની શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ, PM ઋષિ સુનકે ક્રિએટિવ રીતે સમજાવ્યુ કારણ- જુઓ વીડિયો

ટ્રેન નંબર 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વર સ્ટેશને 22.23 કલાકે પહોંચશે અને 22.25 કલાકે ઉપડશે. એ જ રીતે, ટ્રેન નંબર 20956 મહુવા – સુરત સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વર સ્ટેશને 05.18 કલાકે આવશે અને 05.20 કલાકે ઉપડશે.
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો