Ashram

Ashram Express Schedule: એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર; જાણો હવે ક્યાંથી ઉપડશે

Ashram Express Schedule: 1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર

  • અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

અમદાવાદ, 29 જાન્યુઆરી: Ashram Express Schedule: રેલવે પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન (આગમન-પ્રસ્થાન) અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
• ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતીથી 19:40 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 12916 દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનું 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 કલાકે થશે અને ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને ટ્રેન અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Pariksha Pe Charcha 2024: પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા 2024 દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો