Canceled trains News: બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ રહેશે
Canceled trains News: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ રહેશે
અમદાવાદ, 14 ડિસેમ્બર: Canceled trains News: ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનના સોમસર-જવાલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 618 કિલોમીટર 468/02-03 અપ લાઇન પર આરસીસી બોક્સ લોન્ચીંગ માટે બ્લોક લેવાને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે
રદ કરાયેલી ટ્રેનો
1. 15 ડિસેમ્બર 2023ના રોજ જોધપુરથી દોડનારી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ .
2. 16 ડિસેમ્બર 2023ના રોજ સાબરમતીથી દોડનારી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ
3. 14 ડિસેમ્બર 2023ના રોજ બાંદ્રા ટર્મિનસથી દોડનારી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી એક્સપ્રેસ
4.15 ડિસેમ્બર 2023ના રોજ ભગત કી કોઠીથી દોડનારી ટ્રેન નંબર 20944 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
5. 15 ડિસેમ્બર 2023ના રોજ સાબરમતીથી દોડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ
6. 16 ડિસેમ્બર 2023ના રોજ દોલતપુરથી દોડનારી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક- સાબરમતી એક્સપ્રેસ
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.