અમદાવાદ મંડળથી (Train for UP Bihar)ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી જવાવાળા માટે 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ

Train for UP Bihar

અમદાવાદ મંડળથી (Train for UP Bihar)ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી જવાવાળા માટે 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ

  • પશ્ચિમ રેલ્વે દ્વારા સતત વેઇટિંગ લીસ્ટ પર નજર
  • મુસાફરોને કોવિડ નિયમોનું પાલન કરવા વિનંતી

અમદાવાદ , ૦૯ એપ્રિલ: Train for UP Bihar: પશ્ચિમ રેલ્વે હાલમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો ચાલવી રહી છે. અમદાવાદ મંડળના ડીઆરએમ દીપક કુમાર ઝાએ પ્રેસ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે મુસાફરોને ચિંતા કરવાની અને ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.

Whatsapp Join Banner Guj

Train for UP Bihar: મંડળના ગાંધીધામથી ભાગલપુર અને પુરી સુધી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. તે જ રીતે અમદાવાદથી બરૌની, સુલતાનપુર, ગોરખપુર, લખનઉ, યોગ નગરી ઋષિકેશ, ગ્વાલિયર, આગ્રા, મુઝફ્ફરપુર, પટના, દરભંગા, વારાણસી અને પુરી સુધી 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

ADVT Dental Titanium

તેમણે ખાતરી આપી કે અમે સતત વેઇટિંગ લીસ્ટ પર નજર રાખી રહ્યા છીએ અને આગામી સમયમાં વધારાના કોચ ઉમેરવાની યોજના છે. મુસાફરોને વિનંતી છે કે મહામારીના આ સંકટ દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું કડક પાલન કરો અને સલામત મુસાફરી કરો.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર, આ દેશે ભારતથી આવતા તમામ મુસાફરો(travellers) માટે પ્રવેશ પર રોક લગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ