sml 584260314 1501857542 travel plane large

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર, આ દેશે ભારતથી આવતા તમામ મુસાફરો(travellers) માટે પ્રવેશ પર રોક લગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ

travellers

નવી દિલ્હી, 09 એપ્રિલઃસમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો(travellers) પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. નોંધનીય છે કે ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ ન્યૂઝીલન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ભારતથી આવતા તમામ મુસાફરો(travellers) માટે પ્રવેશ પર રોક લગાવી છે. જેમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ સામેલ છે. જે ભારતથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ આ કારણે છોડી મૂક્યો,જવાનની પત્ની અને ચાર વર્ષની દીકરી વડાપ્રધાનનો આભાર માન્યો!

ADVT Dental Titanium