CM patel inaugurated the flower show

CM patel inaugurated the flower show: સીએમ પટેલે ફ્લાવર શોનું કર્યું ઉદ્ઘાટન, જાણો ટિકિટથી લઇને સમય સુધીની તમામ વિગતો

CM patel inaugurated the flower show: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, 31 ડિસેમ્બર: CM patel inaugurated the flower show: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન કર્યું છે. આ વર્ષે અહીં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા આ આયોજન દરમિયાન ભરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.

ફ્લાવર શો અંગે અમદાવાદના મેયરે પણ જણાવ્યું હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૧ ડીસેમ્બર, ૨૦૨૨ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ દરમ્યાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે “અમદાવાદ ફ્લાવર શૉ”નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

ફ્લાવર શોના કારણે અટલ બ્રિજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 31મી ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી અટલ બ્રિજ બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જે પછી બ્રિજ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો પર નજર કરીએ તો અહીં મહેંદીના છોડમાંથી ઓલિમ્પિકને લગતી અલગ-અલગ રમતોના સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે.

ભારતમાં આગામી મહત્વની G20 સમિટ યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.ભારતમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના કારણે તે થીમ પર પણ અહીં વિવિધ સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે અહીં સેલ્ફી પોઈન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 200 ફૂટની વિશાળ ગ્રીન વૉલ ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Sarson Da saag: આ રીતે બનાવો ફેમસ પંજાબી શાક ‘સરસોં દા સાગ’, ઢાબા જેવું બનશે ટેસ્ટી…