PM Modi patidar summit speech

PM modi on Navdsari accident: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી અકસ્માત અંગે સહાયતા રાશિની કરી જાહેરાત, વાંચો…

PM modi on Navdsari accident: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદ, 31 ડિસેમ્બર: PM modi on Navdsari accident: ગુજરાતના નવસારીમાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં કાર અને બસ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ સહાયતા રાશિ ની કરી જાહેરાત…

આ દરમિયાન પીએમ મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયતા રાશિની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે ઘાયલોને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. આ જાણકારી પીએમઓ ઓફિસ દ્વારા આપવામાં આવી છે.

વડાપ્રધાને કહ્યું કે તેઓ ગુજરાતના નવસારીમાં માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુથી દુઃખી છે. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ પણ વાંચો: CM patel inaugurated the flower show: સીએમ પટેલે ફ્લાવર શોનું કર્યું ઉદ્ઘાટન, જાણો ટિકિટથી લઇને સમય સુધીની તમામ વિગતો