download

Nautam Swami: પ્રવચન આપતા સમયે ઢળી પડ્યા નૌતમ સ્વામી, જાણો હવે કેવી છે તબીયત…

Nautam Swami: હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે એ સમયે તુરંત મોરસનો ફાંકો મારી લેવાયા બાદ તુરંત સ્વસ્થ થઈ ગયા હતાઃ રાજન ત્રિપાઠી

અમદાવાદ, 04 જુલાઈઃ Nautam Swami: ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગતરોજ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ સંતો સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

આ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન પૂર્ણ કરી જયશ્રી રામના નાર લગાવતાં એ દરમિયાન અચાનક જ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. જોકે આસપાસના લોકોએ તેમને જીલી લેતા મોટી ઘાત ટળી હતી. આ બાદ તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવતા હાલ તેઓ સ્વસ્થ છે.

આ બનાવ સંદર્ભે જિલ્લાના પ્રમુખ રાજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના સાચી છે અને કાર્યક્રમના આગળના દિવસે તેમનો જન્મ દિવસ હતો જેથી કામનુ ભારણ હોવાથી આમ થયું હતું. જોકે હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે એ સમયે તુરંત મોરસનો ફાંકો મારી લેવાયા બાદ તુરંત સ્વસ્થ થઈ ગયા હતા.

આ પણ વાંચો… Train Cancelled news: અમદાવાદ સ્ટેશન પર બ્લોકને કારણે રાજકોટની આ ટ્રેનો આંશિક રીતે રદ થશે, જાણો…આ પણ વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો