train

Rajkot division: રાજકોટ ડિવિઝનમાંથી જતી આ ટ્રેનો વેરાવળ સુધી જ જશે, જાણો સંપૂર્ણ વિગત…

Rajkot division: રાજકોટ-સોમનાથ-રાજકોટ સ્પેશિયલ 01 સપ્ટેમ્બર થી રાજકોટ અને વેરાવળ વચ્ચે દોડશે

રાજકોટ, ૨૫ ઓગસ્ટ: Rajkot division: સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ ચાલુ છે, તેમજ ટ્રેનની કામગીરી પણ ચાલુ છે. પુનઃવિકાસ કાર્યને ઝડપી બનાવવા માટે, સોમનાથ સ્ટેશન પર આવતી/જતી તમામ ટ્રેનો 01 સપ્ટેમ્બર થી આગળની સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી પહોંચશે/ઉપડશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી નીચેની ટ્રેનો વેરાવળ પહોંચશે અને વેરાવળ સ્ટેશનથી જ ઉપડશે: આઓ જાણીએ…

  1. ટ્રેન નંબર 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ 31 ઓગસ્ટ થી અને ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ 01 સપ્ટેમ્બર થી ઓખા અને વેરાવળ વચ્ચે દોડશે.
  2. ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 01 સપ્ટેમ્બર થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.
  3. ટ્રેન નંબર 11464/11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31 ઓગસ્ટ થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.
  4. ટ્રેન નંબર 11463/11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 01 સપ્ટેમ્બર થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
  5. ટ્રેન નંબર 09521/09522 રાજકોટ-સોમનાથ-રાજકોટ સ્પેશિયલ 01 સપ્ટેમ્બર થી રાજકોટ અને વેરાવળ વચ્ચે દોડશે.

ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો: Film maker Saawan Kumar Passed Away: જાણીતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક, ગીતકાર અને લેખક સાવન કુમાર ટાકનું નિધન

Gujarati banner 01