Bramh samaj swagat 3

ભાજપા કારોબારીમાં પસંદગી પામેલા બ્રહ્મ સમાજના આગેવાનોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૦ ડિસેમ્બર: જામનગર કાલાવડ હાઇવે ઉપર આવેલા તપોવન ધામ વાત્સલ્ય વૃદ્ધાશ્રમના આયોજકો દ્વારા તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા તેમજ શહેરની કારોબારીમાં પસંદગી પામેલા બ્રહ્મ સમાજના આગેવાનોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી તેમજ જિલ્લા ભાજપ ના આગેવાનો અને જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ શહેર પ્રમુખ આશિષભાઈ વિગેરે હાજર રહ્યા હતા

આ તકે શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા જિલ્લા મંત્રી તેમજ અન્ય આગેવાનો અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા

આ કાર્યક્રમના આયોજક અને વાત્સલ્યધામ ના ટ્રસ્ટી રાજનભાઈ જાની અને પરેશભાઈ જાની એ બ્રહ્મ સમાજના આગેવાનો અને ભાજપમાં ચૂંટાયેલા હોદ્દેદારો નો આભાર વ્યક્ત કરી વાત્સલ્ય ધામ ની પ્રવૃત્તિ વિશે માહિતગાર કર્યા હતા

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *