sachin

Abandoned child case upadte: ત્યજેલા બાળકના પિતાની ઓળખ થતા થયા અનેક ખુલાસા, સચીને બાળકની માતાની પણ ગળુ દબાવીને કરી હત્યા!

Abandoned child case upadte: હિના પેથાણી વડોદરાની ઓઝોન કંપનીમાં કામ કરતા સચિન દિક્ષીતના સંપર્કમાં જ્યારે આવી ત્યારે સચિને પોતાના છૂટાછેડા થઇ ગયા હોવાની વાત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેના ફળસ્વરૂપ શિવાંશનો જન્મ થયો હતો

ગાંધીનગર, 10 ઓક્ટોબરઃAbandoned child case upadte: ગાંધીનગરનો બહુ ચર્ચિત કેસમાં મોટો ખુલાસો થયો છે, બાળકની માતાની સચીન દિક્ષીતે જ ગળુ દબાવીને કરપીણ હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે, બીજી તરફ સચિનના ઘરેથી પેઈન્ટિંગ કરેલા પથ્થર મળી આવ્યા છે. જેનું રહસ્ય હજું બહાર આવ્યું નથી. પેથાપુરમાં બાળકને ત્યજી દેનારા સચિન દિક્ષિત ઓઝોન કંપનીમાં જોબ કરતો હતો.. અને તે વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા ડીસ્ટ્રીબ્યુટરને ત્યાં જતો હતો. તે  છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં વિઝીટ કરતો હતો. ઓફિસમાં સચિનને જાણતા ઓઝોનના ડ્રિસ્ટ્રીબ્યુટર મનોજ ગાંધી સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી. અને સચિને અઠવાડિયાની રજા માંગી હતી..તે શાંત સ્વભાવનો છે

સચિનના ઘરેથી મળી આવેલા આ પેઇન્ટિંગ કરેલા પથ્થર, જેમાં એક નામ તો સચિનનું છે પણ બીજુ નામ રવિનું છે તો આ કોણ છે તે કોયડો પોલીસ માટે તપાસનો વિષય છે. જે બોપલના ઘુમા સ્થિત વિશ્વ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા તેના માસા-માસીની સાથે રહેતી. બોપલની ખાનગી હોસ્પિટલમાં જ શિવાંશનો જન્મ થયો.જેથી પોલીસની ટીમ તપાસ માટે વિશ્વકુંજ એપાર્ટમેન્ટ પહોંચી હતી.

આ પણ વાંચોઃ US Green card for indian: અમેરિકા જવા માગતા હજારો ભારતીય માટે ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવશે બાઈડેન- વાંચો વિગત

સૌથી નવાઇ પમાડે તેવી વાત  એ છેકે હિના પેથાણી જે તેના બોપલ સ્થિત માસા-માસી અનિતા અને જીતેન્દ્ર રાઠોડની સાથે રહેતી હતી.. તે માસા-માસીને હિનાનું આખુંયે નામ પણ ખબર નહોતી..ત્યારે આ આખીયે ઘટના અંગે પોતાને ટીવી પરથી જ ખ્યાલ આવ્યો હોવાનું જણાવનાર હિનાના માસાએ બાળકને સાથે રાખવાની વાત કરી હતી

ઇવેન્ટ દરમિયાન ટેટૂ બનાવવાનું કામ કરતી હિના પેથાણી વડોદરાની ઓઝોન કંપનીમાં કામ કરતા સચિન દિક્ષીતના સંપર્કમાં જ્યારે આવી ત્યારે સચિને પોતાના છૂટાછેડા થઇ ગયા હોવાની વાત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેના ફળસ્વરૂપ શિવાંશનો જન્મ થયો હતો

Abandoned child
શિંવાશ સચીન દિક્ષિત અને હિના પેથાણીનો દીકરો

ત્યારબાદ યુપી પરત ફરવાની જીદ્દ પકડેલા સચિને હિનાની ગળું દબાવીને હત્યા કરી નાખી.. ત્યારે આ ઘટના ક્ષણિક આવેગમાં ઉઠાવાયેલા કદમની લાગે છે..પરંતુ હકિકત એવું જ છે કે કેમ તે સવાલ પણ ઉઠે કેમકે ઓઝોન કંપનીમાં કામ કરતા સચિનને ત્યાંના લોકો શાંત સ્વભાવનો હોવાની વાત કરે છે, પણ તે ઘટનાના 3 દિવસ પહેલા અઠવાડીયાની રજા જોઇતી હોવાની તેણે વાત કરી હતી…એનો મતબલ એવો પણ થાય છેકે જરૂરથી તેના મગજમાં કંઇક ચાલતુ હશે. ત્યારે આ તમામ સવાલોના જવાબ પોલીસ હાલમાં મેળવી રહી છે.

આ પણ વાંચોઃ Abandoned child: ત્યજી દેવાયેલા બાળકના પિતા વિશે જાણકારી મળતા, પોલીસ તપાસમાં પત્નીનો સૌથી મોટો ખુલાસો- વાંચો ઘટસ્ફોટ વિશે

આ પણ વાંચોઃ Abandoned child: સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર, આખરે બાળકના પિતાની મળી ઓળખ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj