Jagnath mahadev Vadodara

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

Amit shah

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન..

પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં આ યજ્ઞ થશે..

Jagnath mahadev Vadodara

વડોદરા, ૦૫ ઓગસ્ટ:હાલમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ કોરોનાની માંદગીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં છે.તેમની સાથે દેશના અનેક લોકો કોરોના પીડિત છે અને સારવાર લઈ રહ્યાં છે. શ્રી અમિતભાઈ સહિત દેશના તમામ કોરોના પીડિતો શીઘ્ર સાજા થાય, ફરીથી તંદુરસ્તીને પામે, કોરોનાનો ઉપદ્રવ અટકે અને દેશના લોકો તેનાથી મુક્ત થાય એની ભગવાન શિવને નમ્ર પ્રાર્થના કરવા, નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારે, મહા મૃત્યુંજય જાપ સહિત પવિત્ર શિવ શક્તિ યજ્ઞનું વેદોના જ્ઞાતા પુરોહિતોના માધ્યમથી આયોજન કર્યું છે. ગુરુવાર તા.6 ઓગસ્ટના રોજ પુરાતન અને પવિત્ર જાગનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આ પવિત્ર યજ્ઞ કરવામાં આવશે.

યાદ રહે કે આ પ્રાચીન શિવ મંદિરના જીર્ણોદ્ધાર અને નવીનીકરણ માટે સન 2007માં રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે ભૂમિપૂજન કર્યું હતું.
આ યજ્ઞ સવારના 10 વાગે શરૂ થશે અને સાંજે 5 વાગે તેનું સમાપન થશે. ભારતીય સનાતન ધર્મ પરંપરા ના આ પવિત્ર વિધિવિધાન દ્વારા ગૃહ મંત્રી અમિતભાઈ સહિત દેશ અને દુનિયાના તેમજ રાજ્યના કોરોના પીડિતો શીઘ્ર સાજા થાય, પુનઃ સ્વસ્થ થાય અને આ ભયંકર રોગ સામે લોકોના રક્ષણ માટે સતત કાર્યરત તબીબો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ સહિત તમામ કોરોના લડવૈયાઓની ઈશ્વર સુરક્ષા કરે એવી પ્રાર્થના કરવામાં આવશે.