864002 chudasamabhupendrasinh 020318

અશાંત વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપશેઃ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(bhupendrasinh chudasama)

bhupendrasinh chudasama

ગાંધીનગર, 02 એપ્રિલઃ ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું વિધેયક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં રજૂ કર્યું હતું. મંત્રી(bhupendrasinh chudasama)એ જોગવાઈઓ અંતર્ગત જણાવ્યું હતું કે આ (સુધારા )અધિનિયમ ૨૦૧૯ તારીખ ૧૫-૧૦-૨૦ થી અમલમાં આવેલ છે.આ સુધારા અધિનિયમ ની કલમ ૧૬-બી ગુજરાત કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મિલકતની તબદીલી અંગે, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વિસ્તારમાં આવી મિલકતના બિલ્ડીંગ પરમિશન અંગે અશાંતધારાની જોગવાઈમાં ભંગ થતો નથી તેઓ સેલ્ફ ડેકલેરેશન કરવાની જોગવાઈ થઈ છે.

ADVT Dental Titanium


સદરહુ કલમ ૧૬- (બી )અને ૧૬- (ડી )ની કલમમાં પ્રૂફરીડિંગ ની શરતચૂકથી in the specified area છપાયેલ છે ત્યાં in the disturbed area વંચાણે લેવાનું થાય છે અને જ્યાં the indian Ragistretion act ૧૯૦૮શબ્દો છપાયેલા છે તેને બદલે Ragisretion act ૧૯૦૮ હોવો જોઈએ .આ પ્રૂફરીડિંગથી અન્ય શબ્દો પ્રિન્ટ થયેલ છે તે સુધારવા માટે સન ૨૦૨૧ નું ગુજરાત વિધેયક ક્રમાંક -૯ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા(bhupendrasinh chudasama)એ રજુ કરેલ છે. આથી સુધારેલ શબ્દોથી પ્રસ્તુત કાયદાને અનુરૂપ શબ્દોના પ્રયોગથી વિધેયક બાબતને કોઈ વિસંગતતા રહેશે નહીં .

Whatsapp Join Banner Guj


ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું સુધારા વિધેયક બહુમતીથી ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો….

આ રાશિના જાતકોએ પાછીપાની કર્યા વિના મુશ્કેલીનો સામનો કરવો જોઇએ, આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય