Breaking News: વધતા કોરોનાના સંક્રમણના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી સ્થગિત
ગાંધીનગર, 10 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીને સ્થિગિત(Breaking News) કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ગાંધીનગર મનપાની 18 એપ્રિલના રોજ વોટિંગની પ્રક્રિયા થવાની હતી. પરંતુ હાલ દરેક પાર્ટીઓમાં કોરોનાનું સંક્રમણ જોતા ચુંટણીને સ્થિગત કરવાની માંગ ઉઠી હતી. રાજ્યના મુખ્યમંત્રીએ આ ચૂંટણીને રોકવા માટે ચુંટણી વિભાગમાં પત્ર લખ્યો હતો. જેની પર ચૂંટણી વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે હમણાં ચૂંટણી નહીં થાય.
આ પણ વાંચો….