BREAKING NEWS: રાજ્યની સરકારી અને ખાનગીક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે આ તારીખથી રાબેતા મુજબ શરુ…
ગાંધીનગર, 04 જૂનઃBREAKING NEWS: કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, બીજીતરફ રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપી છે. ત્યારે આ વચ્ચે રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. બીજી તરફ સીએમ રૂપાણીએ વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
આ પણ વાંચો….