Career Samvad

Career Samvad: આજે ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા’ દ્વારા વિદ્યાર્થીઓને તથા યુવાવર્ગને તેઓના કેરિયર સંબંધિત માર્ગદર્શન મળે તે માટે કાર્યક્રમ

Career Samvad: 21મી મે (શનિવાર) ના રોજ સાંજે 6:30 વાગે યોજાનાર ‘કેરિયર સંવાદ’ કાર્યક્રમ માં અપૂર્વ રાવલ શાહ (મોટિવેશનલ સ્પીકર, ટીવી એન્કર, લેખક અને શિક્ષણવિદ્દ) આમંત્રિત વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેશે

વડોદરા, 21 મેઃCareer Samvad: ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા’ દ્વારા વિદ્યાર્થીઓને તથા યુવાવર્ગને તેઓના કેરિયર સંબંધિત માર્ગદર્શન મળે તેમજ ભવિષ્યની તકો વિશે માહિતી મળે તે માટે ‘કેરિયર સંવાદ’ નામના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

dc7ba5ea 304f 48cd 9a4c e1dbe9826a6d

21મી મે (શનિવાર) એટલે કે આજના રોજ સાંજે 6:30 વાગે યોજાનાર ‘કેરિયર સંવાદ’ કાર્યક્રમ માં અપૂર્વ રાવલ શાહ (મોટિવેશનલ સ્પીકર, ટીવી એન્કર, લેખક અને શિક્ષણવિદ્દ) આમંત્રિત વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચોઃ Fire in the jeep: અંબાજી કોટેશ્વર નાળા પાસે ઘઉં ભરેલી જીપમાં આગ લાગી

ડૉ. અપૂર્વ રાવલ શાહ પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, ટીવી એન્કર અને એકેડેમિશિયન છે. તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ માં ‘કારકિર્દી ગુરુ’ તરીકે લોકપ્રિય છે. તેઓ જાહેર જીવન માં તેમના ક્રાંતિકારી ભાષણ અને શિક્ષા ક્રાંતિ અભિયાન માટે વ્યાપકપણે જાણીતા છે.

આ ચર્ચા નુ સીધુ પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ (https://www.facebook.com/CharotarSuthars) પર કરવામાં આવનાર છે જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને યુવા વર્ગ આ કાર્યક્રમ માં જોડાઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘કેરિયર સંવાદ’ કાર્યક્રમ ને વાલીઓ અને વિદ્યાર્થીઓ નો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Onion production: ગરીબોની કસ્તૂરી ડુંગળીએ જગતના તાતની આંખોમાં પાણી લાવી દીધાં : ડુંગળીનું ઉત્પાદન વધુ પરંતુ ઝાકળ, માવઠાંના કારણે પાક નબળો

Gujarati banner 01