Rajiv gandhi death anniversary: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Rajiv gandhi death anniversary: પિતાને યાદ કરી રાહુલ ગાંધી થયા ભાવુક, પૂર્વ પીએમ ને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો કર્યો અપલોડ
નવી દિલ્હી, 21 મેઃ Rajiv gandhi death anniversary: દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થયો છે. નોંધનીય છે કે, સન 1991માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
પૂર્વ વડાપ્રધાનને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ટ્વિટ કરીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
આ પણ વાંચોઃ Fire in the jeep: અંબાજી કોટેશ્વર નાળા પાસે ઘઉં ભરેલી જીપમાં આગ લાગી