child death

Child Death: જામનગર જિલ્લા ના જામનગર તાલુકા ના ખંભાડિયા ગામે કૂવા માં પડી જતાં ત્રણ બાળકો ના મોત

Child Death: પરપ્રાંતિયા મજૂર ના બાળકો રમતા રમતા અચાનક કૂવા માં પડી જતાં ત્રણ બાળકો ના મોત થયા છે

અમદાવાદ, ૦૭ જુલાઈ: Child Death: જામનગર નજીક આવેલા ખંભાડિયા (મોરાર સાહેબ) ગામે આવેલી જાડેજા રામસંગ તેજુભા ની વાડી માં મજૂરી કામ માટે આવેલા પરપ્રાંતિયા મજૂર ના બાળકો રમતા રમતા અચાનક કૂવા માં પડી જતાં ત્રણ બાળકો ના મોત થયા છે.

જામનગર તાલુકા ના ખંભાડિયા ગામે બનેલી આ કરૂણ ઘટના માં વાદીની વચ્ચે આવેલા કૂવા માં હસૂબેન ભૂરીયા (ઉમર વર્ષ 4) માધુરી ભૂરીયા (ઉમર અઢી વર્ષ ) અને નાતેશ ભૂરીયા (ઉમર વર્ષ  1) નું કૂવા માં પડી જતાં મોત નીપજયું છે.

Whatsapp Join Banner Guj

આ ઘટના ની જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્રણ પૈકી એક બાળક ની લાશ ને ફાયર બ્રિગેડ ની મદદ થી તેમજ અન્ય બે બાળકો ની લાશ ને ગામ લોકો ની મદદ થી કૂવા માંથી બહાર કાઢવામાં આવી હતી આ અંગે જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચોઃ job recruitment in ONGC: અલગ અલગ પદ પર થઈ રહી છે ભરતી, અરજી કરવા માટેનો આજે છે છેલ્લો દિવસ