f0ca135b 5149 453e beca 23a5912fa27e

કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને અટલાદરા હોસ્પિટલે ૧૨ હજારથી વધુ કોવિડ દર્દીઓ(covid patients)ની કરી સારવાર

વડોદરા, 12 જૂનઃcovid patients: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે કોવિડની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ અને અટલાદરા ખાતેની તેની વિસ્તરણ સુવિધા દ્વારા કોરોનાના ૧૨ હજારથી વધુ દર્દીઓ(covid patients)ની સારવાર કરવામાં આવી.કદાચિત દેશની અન્ય કોઈ હોસ્પિટલે આટલી વ્યાપક સારવાર સેવા આપી નથી.

covid patients


ડો.રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને તમામ નોડલ અધિકારીઓ અને તમામ વિભાગોના અને સંવર્ગના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સહુની સાથે ત્રીજી લહેરની સંભાવના અને વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે દ્વિતીય લહેરમાં સમર્પિત અને પ્રસંશનીય આરોગ્ય સેવાઓ માટે ગોત્રી હોસ્પિટલની સમગ્ર ટીમને હૃદયપૂર્વક બિરદાવી ધન્યવાદ આપ્યા હતા.

આ પણ વાંચો….

ગુજરાત રસીકરણ(Gujarat vaccination)ના દરેક તબક્કે પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: આજ સાંજ સુધીમાં ૨ કરોડ લોકોએ વેક્સિન લીધી

ADVT Dental Titanium