Dhandhuka Murder Case Update

Cyber crime Active: કિશન ભરવાડ હત્યા કેસમાં અફવાઓ ફેલાતા સાયબર ક્રાઈમ એક્ટિવ થયું, વધુ એક આરોપીની ધરપકડ- વાંચો વિગત

Cyber crime Active: સંવેદનશીલ વાતાવરણમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં અફવાઓ ન ફેલાય એ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર બાજ નજર

અમદાવાદ, 01 ફેબ્રુઆરી : Cyber crime Active: ધંધુકા (dhandhuka) માં કિશન ભરવાડ (kisan bharvad) ની હત્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમો પર અલગ અલગ ધર્મના લોકો આમને સામને આવી ગયા છે. ત્યારે આવા સંવેદનશીલ વાતાવરણમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં અફવાઓ ન ફેલાય એ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર બાજ નજર છે.

ગત 25મી જાન્યુઆરીના ધંધુકામાં ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવકને ગોળી ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં ગણતરીના દિવસોમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હત્યાની તપાસ ગુજરાત એટીએસને સોંપી દેવામાં આવી હતી. જેમાં કિશન ભરવાડની હત્યાના કનેક્શન પાકિસ્તાનના કરાંચી સુધી નીકળ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં ભારે વિરુદ્ધ થયો હતો અને જેમાં સાચા ખોટા મેસેજો પણ ફરતા થયા હતા.

લોકોને ઉશ્કેરવા માટે અફવાઓ શરૂ થઈ હતી. ત્યારે આ અફવાના કારણે કોઈ ઉશ્કેરાઈ ન જાય અને ખોટી અફવા ન ફેલાવે એ માટેથી અમદાવાદ સાયબર બ્રાન્ચ પર મેદાને આવી હતી અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવાની શરૂઆત કરી છે. જો કોઈ ધર્મને લઈને ખોટી અફવા ફેલાવશે તો તેના પર કયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ What’s special about a startup on a budget: સ્ટાર્ટઅપ્સ માટે બજેટ માં શું છે ખાસ?

કિશન ભરવાડ હત્યા કેસમાં અઝીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતાની ધરપકડ કરાઈ છે. ભાવનહપના ઢસાથી પોલીસે અટકાયત કરીને એએટીએસને સોંપ્યો છે.

નોંધનીય છે કે,ધંધુકા હત્યા મામલે અલ્પેશ ઠાકોર ચચાણા કિશનભાઇના પરિવારજનોને સાંત્વના આપવા આવ્યા હતા. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની ઢીંગલીને આર્શીવાદ રુપી રૂ. 1 લાખ આપ્યા હતા.

Gujarati banner 01