Cyclone Tauktae: ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF ટીમને તૈનાત કરાઇ, આ વાવાઝોડાથી રાજ્યના આ બંદરને સૌથી વધુ નુકશાન થવાનો ભય
ગાંધીનગર, 15 મેઃ ગુજરાતમાં કોરોનાનું સંકટ યથાવત છે ત્યાં રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ થયું છે. આ સંકટ સામે એનડીઆરએફની ટીમો સુકાન સંભાળ્યું છે. સયક્લોનને લઇ NDRF એક્શનમાં આવી ગયું છે. રાજ્યમા અલગ અલગ જિલ્લાઓમા NDRF ની 15 ટીમ મોકલાશે. જેમાં સૌથી વધુ અસરકારક રહેશે તેવા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામા 10 ટીમો મોકલાશે. તેમજ કેટલીક ટીમો રિઝર્વ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વડોદરા હેડક્વાર્ટર ખાતે 8 ટીમ, જ્યારે કે ગાંધીનગર ખાતે 2 ટીમ સ્ટેન્ડબાય રહેશે.
રાજ્યમાં તોકતે વાવાઝોડા(Cyclone Tauktae)ની દહેશતના પગલે ndrf ની ટીમ તૈયાર થઈ છે. વડોદરાના જરોદ ખાતેના ndrf હેડ ક્વાર્ટર ખાતેથી 2 ટીમ રવાના ગીર સોમનાથ જવા રવાના થઈ છે. Ndrf ના હેડ ક્વાર્ટર પર બીજી 15 ટીમો સ્ટેન્ડબાય રહેશે. તંત્રના આદેશ મળતાં જ આ ટીમો રવાના થઈ જશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી છે.
રાજકોટમાં તૌકતે વાઝોડાને(Cyclone Tauktae) પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે. જે અલગ અલગ જિલ્લામા જશે. તો બીજી તરફ, કચ્છનું તંત્ર તૌકતે વાવાઝોડા સામે ટકરાવવા સાબદુ થયું છે. આજે સાંજ સુધીમાં જખૌ બંદર ખાતે વસતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાશે. આ માટે આશ્રય સ્થાનો નક્કી કરાયા છે, જે તેમને ખસેડાશે. જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી છે. જખૌ બંદરે 200 માછીમારી બોટ પરત આવી ગઇ છે. હાલમાં 28 બોટ હજી પણ દરિયાની અંદર છે. માછીમારો દ્વારા બોટને સલામત સ્થળે લાંગરવામાં આવી રહી છે. જેથી બોટને કોઈ નુકસાન ન થાય સાથે જ માછીમારી માટે ટોકન આપવાનું પણ બંધ કરાયું છે.
આ પણ વાંચો…..
રોકાણકારોની ચિંતામાં વધારોઃ RBI એ રદ્દ કર્યું આ Bank નું લાયસન્સ- વાંચો સંપૂર્ણ વિગત