Distribution of Ayurvedic ukada: અંબાજી ખાતે રોગપ્રતિકારક લાઇવ આયુર્વેદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૮ જાન્યુઆરીઃ Distribution of Ayurvedic ukada: હાલ તબક્કે રાજ્યભર માં કોરોના અને ઓમીક્રોન ના કેસો માં દિનપ્રતિદિન વધારો થતો જઈ રહ્યો છે ને યાત્રાધામ અંબાજી માં પણ કોરોના પોઝીટીવ કેસ આવવાની શરૂઆત થઇ ગયી છે ત્યારે અંબાજી યાત્રાધામ છે અને અહી અનેક વિસ્તારો માંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.
ત્યારે યાત્રિકો સહીત સ્થાનિક લોકો માં કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર ના આયુર્વેદ વિભાગ દ્વારા અંબાજી ખાતે રોગપ્રતિકારક લાઇવ આયુર્વેદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ઉકાળો સ્થળ ઉપર બનાવી તાજો ઉકાળો લોકો ને આપવામાં આવી રહ્યું છે
એટલુજ નહી લોકો માં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ ઈમ્યુંનીટી બુસ્ટ કરવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા નું પણ સાથે વિનામૂલ્ય વિતરણ શરુ કરવામાં આવ્યું છે આજે સવાર થી શરૂ કરાયેલી આ વ્યવસ્થા 5 હજાર લોકો ને પૂરી પડી શકાય તે રીતે ગોઠવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો…Mass copy case: પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને જીટીયુએ કડક સજા ફરમાવી, વાંચો શું છે મામલો?