Gabbar Parikrama mahotsav: ગબ્બર પરીક્રમા વિસ્તાર માં અડચણ રૂપ ને ગેરકાયદેસર દબાણો દુર કરવાની જુંબેશ હાથ ધરવામાં આવી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 23 માર્ચ: Gabbar Parikrama mahotsav: આગામી તારીખ 8 થી 10 એપ્રીલનાં રોજ અંબાજી નાં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પથ પર ત્રિદિવસીય ગબ્બર પરીક્રમા મહોત્સવનું આયોજન હાથ ધરાનાર છે. ને તેવા સમયે રાજ્ય નાં મોટા નેતાઓ ગબ્બર ખાતે આવનાર છે. ને તેને લઇ ગબ્બર વિસ્તાર માં અડચણ રૂપ ને ગેરકાયદેસર દબાણો થઇ જતાં વહીવટીતંત્ર દ્વારા આજે મોડી સાંજે અચાનક નડતર રૂપ દબાણો હતી.
Gabbar Parikrama mahotsav: જેને લઇ માર્ગ અને મકાન, ફોરેસ્ટ, તેમજ પોલીસ નો મોટો કાફલો તેનાત કરાયો હતો. જોકે આ દબાણ દારો ને અગાઉ દબાણો દુર કરી લેવાં જણાવ્યા છતાં દબાણ દુર ન કરાતાં તમામ અધીકારીઓ સ્થળ ઉપર હાજર રહી જેસીબી જેવા સાધનો સાથે ગબ્બર વિસ્તાર ના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
અંબાજી મંદિર વહીવટદાર અને ડેપ્યુટી કલેકટરે આર.કે પટેલ એ જણાવ્યુ હતુ કે (Gabbar Parikrama mahotsav) ત્રિદિવસીય પરીક્રમાં મહોત્સવ માં યાત્રીકો નું મોટો ઘસારો રહેવાની સંભાવનાં ને લઇ કોઇ તકલીફ ન પડે તેને લઇ આ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.