Good bye social media: પોતાની બર્થ ડે બાદ બોલિવુડ એક્ટર આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા..! ફેન્સ થયા નારાજ
બોલિવુડ, 16 માર્ચઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને તાજેતરમાં જ જન્મદિવસને મનાવ્યો છે. હવે બર્થ ડે બાદ આમીરખાને ફેન્સને બહુ મોટો ઝટકો આપ્યો છે. આજે 15 મી માર્ચથી આમિર ખાને સોશિયલ મીડિયાને અલવિદા(Good bye social media) કરવાની જાહેરાત કરી છે. આમીર ખાનના આ પ્લાને તમામ લોકોને હેરાન કરી દીધા છે. આમીર ખાનનો જન્મ દિવસ 14 માર્ચના રોજ યોજાયો હતો.
એક્ટરને સમયે તમામ લોકોએ સોશિયલ મીડિયા થકી શુભેચ્છાઓ પાઠવી હતી. હવે એક્ટરે બર્થ ડેના બીજા દિવસે સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે. હાલમાં જ આમીરખાને એક પોસ્ટ મૂકીને ફેન્સને અવગત કરાયા છે કે તેઓ સોશિયલ મીડિયા(Good bye social media) છોડી રહ્યાં છે.
આમીરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આપ તમામ લોકોને દિલથી શુભકામનાઓ આપવા માટે ધન્યવાદ પણ આ મારી સોશિયલ મીડિયામાં છેલ્લી પોસ્ટ છે. આ સાથે જ આમીરખાને એલાન કર્યું છે કે હવે તે ફક્ત તેની ચેનલ મારફતે જ ફેન્સ સાથે રૂબરૂ થશે. ફિલ્મોને લઇને પણ દરેક જાણકારી આ ચેનલ મારફતે જ આપશે. આમીરખાને પોતાની ચેનલનું નામ પણ જાહેર કર્યું છે. આમીરખાનના ફેન્સ માટે રાહત એ છે કે ભલે આમીરે સોશિયલ મીડિયા છોડી દીધું પણ હવે તે ચેનલ મારફતે તેમની સાથે સીધો સંપર્ક કરશે. સોશિયલ મીડિયા પર આમીરખાનની છેલ્લી પોસ્ટ છવાઈ ગઈ છે.
આ પણ વાંચો…