Happy bhavsar passed away

Happy bhavsar passed away: જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકનું થયુ દુઃખદ અવસાન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી

Happy bhavsar passed away: ગુજરાતી હિરોઇન હેપ્પી ભાવસાર કે જેઓનું ફેફસાના કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું

અમદાવાદ, 25 ઓગષ્ટઃHappy bhavsar passed away: ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધનઅઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો’પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છેનામ પ્રમાણે ખુશમિજાજ રહેનાર અને હસમુખો સ્વભાવ ધરાવનાર એવા ગુજરાતી હિરોઇન હેપ્પી ભાવસાર કે જેઓનું ફેફસાના કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. જેના લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ ગુજરાતી સિરિયલ, નાટકો અને ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે.

gujarati actress happy bhavsar passed away midnight due to lung cancer -  'પ્રેમજી' અને 'મહોતુ'ની એક્ટ્રેસ હેપી ભાવસારનું નાની ઉંમરે નિધન – News18  Gujarati

હેપ્પી ભાવસાર કે જેઓએ ગુજરાતી સિરિયલ, નાટકો અને ફિલ્મોમાં સારો એવો રોલ ભજવી ચૂક્યાં છે. તેઓએ 2015માં ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયર (Premji: Rise of a Warrior) થી અભિનયની શરૂઆત કરી હતી. એ સિવાય તેઓએ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ Montu Ni Bittu (2019) અને મૃગતૃષ્ણા (Mrugtrushna – 2021) માં પણ અભિનય કર્યો છે. એ સિવાય તેઓએ ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી ઉત્તમ ફિલ્મો પણ આપી છે.

ગુજરાતી એક્ટ્રેસ Happy Bhavsarનું નાની વયે ફેફસાના કેન્સરના લીધે નિધન,  હાલમાં જ આપ્યો હતો જુડવા દીકરીઓને જન્મ - happy bhavsar well known gujarati  film actress passed away ...

હેપ્પી ભાવસાર કે જેઓનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે તેવા મૌલિક નાયક સાથે લગ્ન થયા હતા. મૌલિક નાયક કે જેઓ તેઓની એક્ટિંગ ઉપરાંત ફિલ્મોમાં તેમની કોમીક ટાઈમિંગ અને સોશ્યલ મીડિયામાં હસાવિ હસાવીને લોટપોટ કરી દે એવા વીડિયોઝ માટે પણ જાણીતા છે. તેઓએ હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ જેવી ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ચાહકોએ તેમનાં અભિનયના પણ સારા એવાં વખાણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, હેપીએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલાં જ તેઓએ પોતાના ખોળાની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

આ પણ વાંચોઃ Numerology: આ તારીખોમાં જન્મેલા લોકોને ગુરુવારે સારા સમાચાર મળશે, આવકમાં વધારો થઈ શકે

આ પણ વાંચોઃ Rajnath Singh expressed concern over Ukraine crisis: રાજનાથ સિંહે યુક્રેન સંકટ પર વ્યક્ત કરી ચિંતા, SCO દેશોને આતંકવાદ સામે એક થવા કર્યું આહ્વાન 

Gujarati banner 01